સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th April 2020

માણાવદરમાં નર્મદા લાઇન તૂટી૧ર કલાક પાણી વેડફાતુ રહ્યું!

માણાવદર તા. ૧૦ :.. ભાદરકા સોસાયટી પાછળ ખેતરાવ રસ્તામાં નર્મદા પાઇપ લાઇન જે માણાવદર - બાંટવા તથા ગ્રામ્ય વિસ્તારને પીવાના પાણી પુરૂ પાડે છે તે તૂટતાં સતત ૧ર કલાક સુધી ગઇકાલથી આજ ૧૧ વાગ્યા સુધી હજી પાણી ચાલુ જ છે. પાણી વેડફાટ ૧ર-૧ર કલાકથી વધુ સમય છતાં તંત્ર એ પાણીની પાઇપ લાઇન તૂટવાની જાણ કેમ ન થઇ ? પાણી વેડફાટના કારણે જવાબદાર કોણ ?

વેડફાટના કારણે પાણી કટોકટી નહી સર્જાય તે તેવુ શ્રી પ્રજાજનોમાં ઉઠવા પામ્યો છે. બીજી બાજુ પાણી જયારે સમ્પમાં આવે તે ઉપર કેમ ધ્યાન ન ગયું ?

તાકીદે ભાદરકા સોસાયટી પાછળના ખેતરાવ રસ્તામાં તૂટેલી લાઇન રીપેરીંગ કરી પાણીનો વેડફાટ અટકાવવા માંગ ઉઠી છે.

(11:56 am IST)