સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th April 2020

સરધારના ભંગડા ગામના ખુનના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીની જામીન અરજી મંજુર

મહામારીના કારણે લોકડાઉન થતા અદાલત દ્વારા જજમેન્ટ આપી શકાયેલ નહી. જેથી આરોપીઓએ જામીન અરજી કરી માંગણી કરેલ કે જજમેન્ટના દિવસે હાજર રહેવાની શરતે જામીન આપવા રજુઆત કરેલ હતી.

આ કેસના સંજોગો તથા કોરોનાની મહામારી અને કયારે લોકડાઉન દૂર થાય તે નિશ્ચીત ન હોય અદાલતે ત્રણેય આરોપીઓને ૧પ૦૦૦ના જામીન ઉપર મુદત દાવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી પિયુષ એમ. શાહ અશ્વીન ગોસાઇ, નીતેશ કથરીયા, જાબીદ પારેખ જે.આર. ધુળકોટીયા હર્ષીલ શાહ વિ. બી. પરગીર રોકાયેલ હતા.

(11:51 am IST)