સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th April 2020

ભાવનગર હોસ્પિટલમાંથી 'કોરોના' પોઝીટીવ દર્દીને રજા અપાઇ

ભાવનગર તા. ૧૦ : ભાવનગરમાં કોરોનાની સારવાર લઇ રહેલા વધુ એક દર્દી કોરોના મુકત થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ભાવનગરના સાંઢીયાવાડ, જોગીવાડની ટાંકી નજીક આવેલ ઇન્ડીયા હાઉસમાં રહેતા તૌફિકભાઇ હારૂનભાઇ શેખનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને સારવાર અર્થે સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમની તબિયતમાં સુધારો થતાં તેમનો ફરી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટ નેગેટીવ આવતા આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ભાવનગરના ઘોઘા જકાતનાકા વિસ્તારના જસુભાઇ જાંબુચા બાદ તૌફિકભાઇ કોરોના મુકત થતાં ભાવનગરમાં કુલ બે કોરોના પોઝીટીવ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(10:42 am IST)