સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th February 2018

ઉપલેટા વિક્રમ ચોક સ્વાવીનારાયણ મંદિરે- ૨ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

કૂષ્ણકાંત એચ ચોટાઈ દ્વારા, ઉપલેટા, તા.૧૦: વિક્રમ ચોક ખાતે કમલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્કારધામ સોસાયટી દ્વારા સ્વામીનારાયણ મંદિર ખાતે ભવ્ય મુર્તિપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

સાધુ યોગીસ્વરૂપદાસ મહંતશ્રી સ્વામીનારાયણ મંદિર જુનાગઢ તેમજ સાધુ ધર્મવિનદાસ (કોઠારી સ્વામીશ્રી) તથા સાધુ કલ્યાણ મુર્તિદાસએ જણાવેલ છે કે સોરઠની ખમીરવંતી અને પરબ્રહ્મ ભગવાન સ્વામીનારાયણના મંદવાળગ્રહણ તેમજ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પુનીત ચરણરજ સમી પાવનકારીધરા એટલે ઉપલેટા શહેરના વિક્રમ ચોક ખાતેના સ્વામીનારાયણ મંદિર ખાતે તા.૧૭ અને તા.૧૮ બે દિવસનો મુર્તિપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહયો છે.પ્રથમ દિવસે સવારેના ૮ વાગ્યાથી સ્વામીનારાયણ વિશ્વશાંતી મહાયજ્ઞ તથા બપોરના ૪ કલાકે ભગવાન સ્વામીનારાયણની ભવ્ય શોભાયાત્રા તેમજ રાત્રીના ૮:૩૦ કલાકથી સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ તા.૧૮ના રોજ સવારે ૭ વાગ્યાથી વેદોકત મંત્રોચ્ચાર દ્વારા મુર્તિપ્રતિષ્ઠાવિધી દ્વારા પ્રાણપ્રતિષ્ઠાની સાથે ૧૦ વાગ્યાથી પ્રસાંગીક પ્રર્વચન બાદ સમારોહની પુર્ણાહુતી કરવામાં આવશે. કાર્યક્રમ દરમ્યાન ભગવાન સ્વામીનારાયણ સંપ્રદાય તેમજ તમામ ધર્મપ્રેમી જનતાને ઉપરોકત કાર્યક્રમમાં ભાગ લેવા બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરની યાદીમાં જણાવાયું છે.

(11:36 am IST)