સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th February 2018

ભાવનગરઃ NSS યુનિટ દ્વારા તખ્તેશ્વર મંદિરમાં સફાઇ ઝુંબેશ

 મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન અને સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત નંદકુંવરબા મહિલા કોલેજ - દેવરાજનગરની એન.એસ.એસ. યુનિટ દ્વારા ભાવનગરના તખ્તેશ્વર મંદિરની સ્થાપના ૧૨૫ વર્ષ પૂર્ણ થતાં મંદિર પરીસરની સફાઇ કરવામાં આવી હતી. નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા વિદ્યાર્થીનીના સર્વાંગી વિકાસ માટે આવા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. અભ્યાસની સાથે વિદ્યાર્થીનીઓ દરેક ક્ષેત્રમાં પારંગત બને તેવા કાર્યક્રમોની સાથે સમાજજીવનના મૂલ્યો અને સમાજ સંરચનાની જવાબદારી સમજે તે હેતુથી એન.એસ.એસ. યુનિટ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાય છે. તસ્વીરમાં સફાઇમાં જોડાયેલ વિદ્યાર્થીઓ નજરે પડે છે. (તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)

(11:34 am IST)