અમરીશભાઈ ડેરની સ્પષ્ટ જાહેરાત, તેમને કોરોના થયો નથીઃ પ્રતાપભાઇ દુધાતની તબિયત સારી છે
રાજુલા-સાવરકુંડલાઃ સૌરાષ્ટ્ર કોંગ્રેસના બે ધરખમ ગજાના કોંગી ધારાસભ્યોને કોરોના વળગ્યો હોવાના અહેવાલો પ્રસારિત થયા છે ત્યારે ધારાસભ્ય અમરીશભાઈ ડેર એ એક વીડિયો દ્વારા સ્પષ્ટતા કરી છે કે તેઓ કોરોના સંક્રમિત થયા નથી. પ્રતાપભાઇ દુધાતને કોરોનાની અસર થઈ છે પરંતુ તેઓ પણ બિલકુલ સ્વસ્થ છે. તેમણે ઇશ્વરને પ્રાર્થના કરી છે કે સમસ્ત વિશ્વ કોરોનાની ત્રીજી લહેરમાંથી ઝડપથી બહાર નીકળી જાય. શુભેચ્છકોનો તેમને આભાર માન્યો છે.
આ અંગે રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય અમરીશભાઈ ડેરે જણાવ્યુ છે કે ઉપરવાળાની કૃપા અને દયાથી ખૂબ જ તંદુરસ્ત અને સ્વાસ્થ્ય છું. મારી ખોટી અફવા ફેલાવનારને કુદરત તંદુરસ્ત રાખે અને આ કોરોનાના વાયરસથી કુદરત દરેકને દૂર રાખે અને કોરોનાથી બચાવવા રક્ષણરૂપે માસ્ક પહેરે તેમ અંતમાં ધારાસભ્ય અમરીશભાઈ ડેરે જણાવેલ હતું.