સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th December 2022

મોરબીના ધુનડા ગામમાં ભાગવત કથાઃ રાજકોટના જનકભાઇ મહેતા વકતા

રાજકોટ તા.૯ : મોરબી પાસેના ધુનડા સજજનપર ગામમાં ગામ સમસ્‍ત અને શ્રી શકિત માતાજી ગરબી મંડળ દ્વારા ગાયોના લાભાર્થે અને પિતૃઓના મોક્ષાર્થે  તા.૧૧ રવિવારથી તા.૧૭ શનિવાર સુધી શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયેલ છે. જેના વ્‍યાસાસને રાજકોટ સ્‍થિત ડોડીયાળાવાળા સુપ્રસિધ્‍ધ કથાકાર શાષાી શ્રી જનકભાઇ મહેતા બિરાજી કથા શ્રવણ કરાવશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી ૬  રહેશે. ભાવિકોને કથા શ્રવણનો લાભ લેવા આયોજકોએ નિમંત્રણ પાઠવ્‍યું છે.

(11:38 am IST)