નરેન્દ્રભાઈ ઉપર લોકોના ભરોસાની આ જીત છે: સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદ ચાવડા
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯
આ ચુંટણીના પરિણામો સંદર્ભે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડાએ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, થશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના આહવાન ને સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમસ્ત ગુજરાત ની જનતા જનાર્દન ને ઝીલી ઐતિહાસિક જન સમર્થન આપ્યું છે. શ્રી ચાવડાએ સર્વે વિજેતા ઉમેદવારો ને અભિનંદન પાઠવ્યા હતા તથા સૌરાષ્ટ્ર કચ્છના ભાજપ કાર્યકરો ની સમસ્ત ટિમ ને અભિનંદન આપ્યા હતા. તેમણે જનતા જનાર્દને આપેલ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. હવે સૌરાષ્ટ્ર કચ્છ ના જન પ્રતિનિધિઓ અને ગુજરાત સરકાર સાથે મળી કચ્છ ગુજરાત ના વિકાસ કાર્યો ને વેગ આપશે. ભાજપની જીત નો રેકોર્ડ સર્જાયો છે. કેન્દ્ર સરકાર, રાજય સરકારની કામગીરી માન. વડાપ્રધાનશ્રી નો ગુજરાતનાં પ્રજાજનો પરનો ભરોસો, પ્રદેશ ભાજપા પ્રમુખશ્રી સી.આર. પાટીલજી ની સુઝ બુઝ, માઇક્રો પ્લાનીંગ ની આ જીત છે. તેમ શ્રી ચાવડાએ જણાવ્યુ હતું. સાંસદશ્રી તથા ભાજપા પ્રદેશ મહામંત્રી પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદ ચાવડા ને સંગઠન તરફ થી તેમને સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી બનાવ્યા હતા. શ્રી ચાવડાએ સતત લોક સંપર્ક અને સંગઠન વચ્ચે સંકલન સાંધી ગુજરાત ની ભાજપ સરકાર ના વિકાશશીલ કાર્યો અને લોકોની તકલીફો જાણી તેમના નિરાકરણ માટે પ્રયત્નશીલ બન્યા હતા. આજે ૪૫ જેવી સીટો ભાજપ ને મળી છે તેથી તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમના સંસદીય મત ક્ષેત્ર ની કચ્છ – મોરબી ની સાતેય સીટ ઉપર ભવ્ય વિજય મળ્યો છે.