સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th December 2021

જામનગરના ધનવંતરી ગ્રાઉન્ડ ખાતે આજથી ચાર દિવસ માટે આયુર્વેદિક હેલ્થ એક્સપો 2021 નો પ્રારંભ

જામનગર:::જામનગરના ધનવંતરી ગ્રાઉન્ડ ખાતે આજથી ચાર દિવસ માટે આયુર્વેદિક હેલ્થ એક્સપો 2021 ની શુભ શરૂઆત કરવામાં આવી છે શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ના આચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજની ઉપસ્થિતિમાં કલેકટર ડૉ. સૌરભ પારધી, કમિશ્નર વિજય ખરાડી, આઈ.ટી.આર.એ.ના કુલપતિ વૈદ્ય અનુપ ઠાકર સહિતના મહાનુભાવોએ ખુલ્લો મુક્યો હતો. જામનગરમાં આજથી 12 ડિસેમ્બર સુધી આયોજિત આ આયુર્વેદ સ્વાસ્થ્ય મેળામાં આયુર્વેદ થકી લોકોના સ્વાસ્થ્યને સારું બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.(અહેવાલ:મુકુંદ બદિયાણી , તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(4:09 pm IST)