સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th December 2019

સાવરકુંડલા નાગરિક બેંકના ચેરમેનપદે ઉપાધ્‍યાય વા.ચેરમેન જયાણી, એમ.ડી. તરીકે સુચકની વરણી

 

સાવરકુંડલા તા.૮ : સાવરકુંડલા લીલીયા વિસ્‍તારના ધારાસભ્‍ય પ્રતાપભાઇ દુધાત અને ગુજરાત પ્રદેશક કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઇ રવાણીની ઉપસ્‍થિતિમાં સાવરકુંડલા નાગરીક બેંકના ચેરમેન તરીકે અશ્વિનભાઇ ઉપાધ્‍યાય વા. ચેરમેન તરીકે રમેશભાઇ જયાણી અને મેનેજીંગ ડીરેકટર તરીકે હસુભાઇ સુચકની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

સાવરકુંડલા લીલીયા વિસ્‍તારમાં ધારાસભ્‍ય પ્રતાપભાઇ દુધાત અને રાજકીય અને સહકારી સંસ્‍થાઓમાં કોંગ્રેસનું શાસન  લાવકીંગ મેકરની ભુમિકા ભજવવામાં સફળ રહયા છે. તેવા રાજકીય ચાણકીય એવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઇ રવાણી, મુકેશભાઇ જયાણી અને શરદભાઇ પંડયાની ઉપસ્‍થિતિમાં નાગરીક બેંકના અઢી વર્ષ માટે નવા હોદેદારોની વરણીમાં ચેરમેન તરીકે અશ્વિનભાઇ ઉપાધ્‍યાય તથા વાઇસ ચેરમેન તરીકે રમેશભાઇ જયાણી તથા મેનેજીંગ ડીરેકટર પદે નાગરિક બેંકના સીનીયર ડીરેકટર અને સાવરકુંડલા શહેર કોંગ્રેસને ચેતનવંતી બનાવી છે તેવા કોંગ્રેસના કદાવર નેતા હસુભાઇ સુચકની વરણી કરવામાં આવતા બેંકના સભાસદો અને શહેરની આમ જનતામાં ખુશી વ્‍યાપી જવા પામેલ છે.નાગરીક બેંકના સર્વાનુમતે વરણી પામેલા ત્રણેય હોદેદારોને અભિનંદન ધોધ વરસી રહયો છે. ધારાસભ્‍ય પ્રતાપભાઇ દુધાત અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી ચંદ્રેશભાઇ રવાણી સંપુર્ણ દેખરેખ તળે સર્વાનુમતે વરણી પામેલા અશ્વિનભાઇ ઉપાધ્‍યાય રમેશભાઇ જયાણી અને હસુભાઇ સુચકે સાવરકુંડલાની નાગરીક સહકારી બેંકને અમરેલી જીલ્લાની સહકારી સંસ્‍થાઓમાં અવલ નંબરે આવી ખુબજ પ્રગતિ તરફ આગળ વધારવામાં આવશે તેવા પ્રયત્‍નો હાથ ધરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવેલ હતી.

(1:52 pm IST)