News of Sunday, 9th December 2018
પોરબંદર-દ્વારકા હાઇવે પર કુછડી ગામ નજીક 13 કુંજ પક્ષીઓના મોત
વનવિભાગ અને સામાજિક સંસ્થા પહોંચી : ઠંડી અને વલ પડવાના કારણે મોત થયાનો નિષ્ણાંતોનો મત
પોરબંદર દ્વારકા હાઇવે પર 13 કુંજ પક્ષીઓના મોત થયા છે. કુછડી ગામ નજીક કુંજ પક્ષીઓના મોતની આ ઘટના બનતાની સાથે જ વનવિભાગ અને સામાજીક સંસ્થાઓ ઘટના સ્થળે દોડી આવી હતી.
કુંજ પક્ષીઓના મોતનું કારણે ઠંડી હોવાનું સામે આવી રહ્યુ છે. ઠંડી અને વલ પડવાના કારણે આ કુંજ પક્ષીઓના મોત થયા હોવાનો નિષ્ણાંતોનો મત છે. સુકી જમીનમાં ઠંડીના કારણે કુંજ પક્ષીઓના મોતથી પક્ષી પ્રેમીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યુ છે
(7:24 pm IST)