સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

બુધવારે પડધરીમાં ખેડૂતોના પ્રશ્ને એલાને જંગ : હાર્દિક પટેલની સભાની મળી મંજૂરી

રાજકોટ : બુધવારે પડધરીમાં ખેડૂતોના પ્રશ્ને હાર્દિક પેટલની સભાને મંજૂરી મળી છે ખેડૂતોના પાકને નુકસાન થવા મામલે હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું હાર્દિક પટેલે સરકારને 12 તારીખ સુધીનો સમય આપીને પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરી હતી અને કહ્યું હતું કે સરકાર ખેડૂતોના હિત માટેના નિર્ણયો જો 12 તારીખ સુધીમાં  નહીં કરે તો 13 તારીખથી આંદોલન કરવામાં આવશે.

  આગામી તા.13ને બુધવારે ખેડૂતોના પ્રશ્ને જાગૃતિ માટે વસુંધરા હોટલ પાસે સભાને મંજૂરી અમલી છે મનીષભાઈ દોંગાએ સભા ભરવા પરવાનગી માટે અરજી કરેલ હતી જે સમય અને સ્થળ સાથે મંજુર થઇ છે

 આ અગાઉ હાર્દિક પટેલે  કહ્યું હતું કે અમે એટલા માટે ખેડૂતો માટે બોલીએ છીએ કેમ કે સરકારે ખેડૂતો માટે કંઈ કર્યું નથી. ખેડૂતોની હાલત અત્યારે ખરાબ છે.

(9:32 pm IST)