ઉના ના નાથેજમાં બંધ મકાનના તાળા તોડી અર્ધા લાખની ચોરી
ઉના તા ૯ : તાલુકાના નાથેજ ગામે ૪ દિવસ બંધ રહેલ મકાનમાં તસ્કરો ત્રાટકીને રૂા પ૦ હજાર રોકડા તથા ચાંદીના છડા મળી રૂા ૫૧૨૦૦/-ની ચોરી કરી ગયેલ છે.
ઉના તાલુકાના ગ્રામ્ય પંથકમાં દેલવાડામાં રૂા ૭૫/- હજારની ચોરીનો ભેદ ઉકેલાયો નથી, ત્યાં ઉના તાલુકાના નાથેજ ગામે રહેતા સાર્દુલભાઇ લખમણભાઇ સોસા, જાતે આહીર, ઉ.વ.૩૫, ખેડુત ગત તા. ૪ થી ૭ સવારે ૭.૦૦ સુધીમાં તેમનું મકાન બંધ કરી દરવાજાને તાળા મારી પરિવાર સાથે બહારગામ ગયા હતા, ત્યારે પાછા આવતા કોઇ આરોપીઓ મકાનના રૂમના દરવાજાનું તાળુ તોડી મકાનમાં રહેલ કબાટનો લોક ખોલી તેમાં રહેલ સુટકેશમાં રાખેલ રોકડ રૂપીયા ૫૦,૦૦૦/-(પચાસ હજાર) તથા ચાંદીના છડા જોડી-૧ રૂા ૧૨૦૦/- મળી રૂ.૫૧૨૦૦/- મુદામાલ તથા આધારકાર્ડ તથા એટીએમ કાર્ડ પણ ચોરી કરી નાસી ગયાની ફરીયાદ ઉના પોલીસમા઼ નોંધાવેલ છે.
ઉનાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ. બાબી તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સગડ મેળવવા તથા ફિંગર પ્રિન્ટ નિષ્ણાંત બોલાવી તપાસ શરૂ કરી છે.