સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

પોરબંદર : દારૂના ગુન્હામાં 'પાસા' તળે ધરપકડ કરેલ ૪ આરોપીઓ જેલ હવાલે

પોરબંદર,તા.૯: દારૂના ગુન્હામાં 'પાસા' તળે ધરપકડ કરેલનું આરોપીઓને જુદી જુદી જેલોમાં મોકલી અપાયો છે.

પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના મુજબ જીલ્લામાં માથાભારે ઇસમો તેમજ દારૂના વેચાણ અંગેની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તથા હદપાર જેવા અટકાયતી પગલા લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને એલ.સી.બી.તથા એસ.ઓ.જી.તથા ઉધોગનગર પો.સ્ટે. દ્રારા દેશી તથા ઇગ્લીશ દારૂના જથ્થામા પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલતા ર્ંજિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એન.મોદી સાહેર્બં દ્વારા આ બુટલેગર્સને પાસા હેઠળ ર્ંઅમદાવાદ,વડોદરા તથા સુરત જેર્લં માં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા ર્ંપોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીર્લં સાહેબની સીધી દેખરેખ હેઠળ ર્ંએલ.સી.બી. પો.ઇન્સ. એમ.એન.દવે તથા એસ.ઓ.જી. પો.ઇન્સ. કે.આઇ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ ઇન્સ. એચ.એન.ચુડાસમા તથા એસ.ઓ.જી. પો.સબ ઇન્સ. એચ.સી.ગોહિલ તથા એલ.સી.બી. એસ.ઓ.જી. પો.સ્ટાર્ફં દ્વારા જુદીજુદી ટીમો બનાવી આ પાસા વોરન્ટના આરોપીઓને ઉઠાવી લઇ હુકમની બજવણી કરી અલગ-અલગ જેલોમા મોકલી આપેલ છે

આરોપી(૧) પાબુદાનસિંહ અમરસિંહ શેખાવત ઉ.વ.૩૫ રહે. મેધપર બોરીચી તા.અંજાર જી.કચ્છ ભુજવાળાને મધ્યસ્થ જેલ સુરત ખાતે , (૨) બબલુસિંહ મદનસિંહ શેખાવત ઉ.વ.૩૬ રહે.મેધપર બોરીચી તા.અંજાર જી.કચ્છ ભુજ વાળાને મધ્યસ્થ જેલ વડોદરા ખાત,ે  (૩) મેસુર ચનાભાઇ કોડીયાતર ઉ.વ.૨૬ રહે.દિગ્વીજયગઢ ગામ તા.જી.પોરબંદર વાળાને મધ્યસ્થ જેલ સુરત ખાતે (૪) હાર્દીક ઉર્ફે સુગરી સુરેશભાઇ મોતીવરસ ઉ.વ.૧૯ રહે.ખારવાવાડ ગરબી ચોક પોરબંદર વાળાને મધ્યસ્થ જેલ અમદાવાદ  (૫) હિતેષ ઉર્ફે કાલુ પ્રવિણભાઇ પાંજરી ઉ.વ.૧૮ રહે.ખારવાવાડ, પોરબંદર વાળાને મધ્યસ્થ જેલ સુરત ખાતે  (૬) વિરમ રામભાઇ કેશવાલા ઉ.વ.૩૮ રહે. વિસાવાડા તા.જી.પોરબંદર વાળાને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે  (૭) અનીલ ઉર્ફે ખોડો સાજણભાઇ કેશવાલા ઉ.વ.૨૫ રહે. વિસાવાડા તા.જી.પોરબંદર વાળાને મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.  આ સમગ્ર કામગીરીમા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. ના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ એ ભારે જહેમત ઉઠાવેલ હતી.

(11:55 am IST)