સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

જાુનાગઢ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજનુ સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સંપન્ન

તાજેતરમાં જાુનાગઢ શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ યુવક મંડળ દ્વારા સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો ઉપરોકત તસ્વીરમાં મંચ પર બેઠલ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના પ્રમુખ અને મનોરંજન સર્કિટ હાઉસના મેનેજર શ્રીપ્રફુલ્લભાઇ જોષી તેમજ કોર્પોરેટર પુનિતભાઇ શર્મા અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર પ્રમુખ આશિષ રાવલ, હસુભાઇ જોષી, પી.સી.ભટ્ટ અને યુવક મંડળની ટીમ તેમજ દિપ પ્રાગટય કરતા મહેશભાઇ જોષી અને ધારાસભ્ય ભીખાભાઇ જોષીનું સન્માન કરતા યુવાનો તેમજ ઉપસ્થિત જ્ઞાતિજનો નજરે પડે છે. આ કાર્યક્રમમાં શ્રીમતી આરતીબેન પરેશભાઇ જોષી, બટુકબાપુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને નુતન વર્ષની અરસ પરસ શુભેચ્છા પાઠવી તેજસ્વી  વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનીત કર્યા હતા (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જાુનાગઢ)

(11:52 am IST)