સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

ભાવાભી ખીજડીયાના ઇન્દ્રજીતસિંહ જાડેજાનું ખરેડી પાસે બસની અંદર પડી જવાથી મોત

રાજકોટથી ખીજડીયા જતી વખતે બનાવઃ ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૯: કાલાવડના ભાવાભી ખીજડીયા ગામના ઇન્દ્રજીતસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઉ.૪૮) પરમ દિવસે રાજકોટથી એસટી બસમાં બેસી ખીજડીયા જતાં હતાં ત્યારે ખરેડી નજીક બસ પહોંચી ત્યારે ચાલુ બસમાં ચક્કર આવતાં પડી જતાં માથામાં ઇજા થઇ હતી. તેમને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના મોત નિપજ્યું હતું.

ઇન્દ્રજીતસિંહ બે ભાઇ અને ચાર બહેનમાં નાના હતાં અને કારખાનામાં નોકરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. બનાવને પગલે પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે પ્રાથમિક કાગળો કરી કાલાવડ પોલીસને જાણ કરી હતી.

(11:50 am IST)