સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th November 2018

વાંકાનેરના ચીત્રાખડામાં ખનીજ ચોરી મામલે વિજળીયા ગામના સરપંચે ફાયરિંગ કરતા ભયનો માહોલ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે વિજળીયા ગામના સરપંચ દ્વારા ખનીજચોરી મામલે હવામાં ફાયરિંગ કરવામાં આવતા નાના એવા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ખનીજ સંપદાથી ભરેલ ચિત્રાખડા ગામે વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરી થાય છે અને ખનીજ મોરબી-વાંકાનેર ખાતે સિરામીક ઉદ્યોગમાં ફાયર ક્લે તરીકે ઓળખાતી ખનીજનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, ચીત્રાખડા ગામની સીમમાં માટી કાઢવા માટે ખનીજ માફિયાઓ દિવસ-રાત ગેરકાયદે ખોદકામ કરી માટી મોરબી-વાંકાનેર સુધી વિના રોકટોક પહોંચાડી રહ્યા છે.

ચીત્રાખડા ગામના ફરિયાદી ભરતભાઈ છેલાભાઈ સાપરાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી વીજળીયા ગામના સરપંચ રાજુભાઈ સામાભાઈ કુમખાણીયા દારૂ પીધેલ હાલતમાં ચીત્રાખડા ગામના ઝાંપે આવી ફરિયાદીને કહેલ કે તે મારી વાડી પાસે આવેલ ખરાબામાં ખાડા ખોદેલ હોય તે પુરી દેજે નહીં તો તને જાનથી મારી નાખીશ એમ કહી આરોપી સરપંચે પોતાની પાસે રહેલ ગેરકાયદેસર બંદુક માંથી હવામાં ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી.

મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પીએસઆઈ પરમાર તપાસ ચલાવી રહ્યા છે.

 

(6:27 pm IST)