વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય કાલે ગોંડલના રામજી મંદિર ખાતે પૂજ્ય સદગુરૂદેવ શ્રી હરિચરણદાસજી મહારાજના આશીર્વાદ લેશે
રાજકોટ તા.૯ : ગોંડલના શ્રી રામજી મંદિર ટ્રસ્ટ ના વર્તમાન મહંત શ્રી જયરામદાસજી મહારાજ તથા ગોંડલ લોહાણા મહાજને જણાવ્યું છે કે,આપણું જ્ઞાતિ ગૌરવ અને ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય તા. ૧૦.૧૦.૨૦૨૧ ને રવિવારે સવારે રામજી મંદિર ગોંડલ ખાતે પરમ પુજ્ય સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજના આશીર્વાદ લેવા પધારી રહ્ના છે. ત્યારે ગોંડલ લોહાણા મહાજનની આગેવાનીમાં ગોંડલની દરેક રઘુવંશી સંસ્થાઓના પદાધિકારીઓ તથા કારોબારી સભ્યો સાથે મળીને ડૉ. નીમાબેન આચાર્ય જ્ઞાતિ ગૌરવનું રામજી મંદિર ગોંડલ ખાતે જ સન્માન કરવાનું આયોજન છે ત્યારે સૌ પદાધિકારીઓ તથા કારોબારી સભ્યો આ રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે રામજી મંદિર ગોંડલ ખાતે એકઠા થઈ આપણાં જ્ઞાતિ ગૌરવને સૌ સાથે મળીને આવકારીશું. તેમ રામજી મંદિર ટ્રસ્ટના વર્તમાન મહંત શ્રી જયરામદાસજી મહારાજ તથા ગોંડલ લોહાણા મહાજને જણાવ્યું છે.