News of Saturday, 9th October 2021
પોરબંદર-રાજકોટ લોકલ ટ્રેઈનને પુનઃ શરૂ કરવાની તૈયારી
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૯ :. પોરબંદર-રાજકોટ વાયા જામનગર લોકલ ટ્રેઈન કોરોનાકાળની શરૂઆતથી બંધ છે. આ ટ્રેઈન પુનઃ ચાલુ કરવા અનેક વખત રજૂઆતો થતી આવે છે. કોરોનાનું સંકટ હાલ હળવુ થતા પોરબંદર-રાજકોટ વાયા જામનગર લોકલ ટ્રેઈન નજીકના દિવસોમાં શરૂ થાય તેવી સંભાવના વધી છે. પોરબંદર-રાજકોટ લોકલ ટ્રેઈન પુનઃ શરૂ કરવા રેલ્વે દ્વારા આખરી મંત્રણા કરી રહ્યાનું જાણવા મળે છે. કોરોનાકાળમાં બંધ થયેલ પોરબંદર-સાંગાગુચ્છી સહિત અન્ય સાપ્તાહિક ટ્રેઈનો પોરબંદરથી પુનઃ શરૂ થઈ ગઈ છે, ત્યારે પોરબંદર-રાજકોટ લોકલ ટ્રેઈન નજીકના દિવસોમાં શરૂ થાય તેવી સંભાવના છે.
(11:44 am IST)