હળવદમાં ગૌવંશ પર એસીડ એટેક કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ : આમ આદમી પાર્ટીએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
હળવદમાં ગૌવંશ પર એસીડ એટેકની ઘટના પ્રકાશમાં આવી હોય જેથી જીવદયાપ્રેમીઓમાં રોષ ભભૂક્યો છે જે મામલે હળવદ તાલુકા આમ આદમી પાર્ટીએ મામલતદારને આવેદન પાઠવી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે
હળવદ તાલુકા આમ આદમી પાર્ટીએ મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે મામાના ચોરા પાસે ગૌવંશ પર એસીડ હુમલો થયો છે હળવદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાંથી ખેતીવાડી વિસ્તારમાં અનેક ગૌવંશ પર ભૂતકાળમાં જીવલેણ હુમલાઓ થયા છે હાલ હળવદ શહેરની મધ્યમાં આવેલ દંતેશ્વર દરવાજા અને મામા ના ચોરા વિસ્તારમાં કોઈ નરાધમોએ છેલ્લા એક મહિનામાં ૩ ગૌવંશને એસીડ એટેક કરી ગંભીર રીતે ઘાયલ કરેલ છે
ત્યારે પોલીસ તાત્કાલિક ધોરણે અસામાજિક તત્વોને પકડી પાડી કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરાય અને તટસ્થ તપાસ કરી અપરાધીઓ પર કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે