સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th July 2020

વિસાવદરના જૂની ચાવંડમાં કોરોનાથી મોત

જુનાગઢ તા. ૯ :.. જુનાગઢ જીલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે આજે વધુ એક વ્યકિતનો કોરોનાએ ભોગ લીધો છે.

વિસાવદર તાલુકાના જુની ચાવંડ ગામમાં રહેતા ૬૦ વર્ષના પુરૃષનો રિપોર્ટ પોઝીટીવ રહ્યા બાદ તેને સારવાર માટે જુનાગઢની હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જયા આજે તેમનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ સાથે જુનાગઢ જીલ્લામાં કોરોનાથી ૬ વ્યકિતના અત્યાર સુધીમાં મોત થયા છે.

(4:44 pm IST)