News of Tuesday, 9th July 2019
તળાજાના કોટડા મેથળા વચ્ચે દરીયા કિનારે મહુવાના યુવાન જનક વાઘેલાની લાશ મળી
ત્રણેક દિવસ પૂર્વે ઘરેથી કોઇને કહ્યા વગર ચાલ્યો ગયો હતો
તળાજા ના દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા કોટડા અને મેથળા વચ્ચે દરિયામાં( બારા) તરીકે ઓળખાતા કિનારે અજાણ્યા યુવાન ની લાશ હોવાનું જાણવા મળતા લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા
ઘટનાની જાણ થતા દાઠા પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દરીયા વિસ્તાર અંલગ મરીનપોલીસ મથક ની પણ હદ મા આવતુ હોય તેમને જાણ કરતા અંલગ મરીનપોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી .
સ્થાનિક પોલીસે લાશનાં ફોટા પાડી વાયરલ કરતા લાશ મહુવાના દરજી યુવાન જનકભાઇ નિતિનભાઇ વાઘેલા (ઉ.વ.૨૬)ની હોવાનું ખુલવા પામ્યું હતું. તે ત્રણેક દિવસ પૂર્વે ઘરેથી કોઇને કહ્યા વગર ચાલ્યો ગયો હતો જેની મહુવા પો.સ્ટે.માં જાહેર પણ કર્યુ ંહતું. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.
(11:22 pm IST)