સલાયામાં ગજીયા પરિવારના ૩ બાળકોના મોતથી અરેરાટી
ખંભાળીયા તા. ૯ :.. તાલુકાના સલાયા ગામે દરિયાની ખાડી આવેલી છે તેની નજીક રહેઠાણ ધરાવતા માછીમાર તથા બોટીંગ વ્યવસાય સાથે સંકળાયેલા ગજીયા પરિવારના ત્રણ વર્ષની અંદરની ઉમરના ત્રણ માસૂમ બાળકો ખાડીના પાણીમાં ન્હાવા પડયા હતાં. રમતમાં આગળ જતાં ઉડું પાણી આવતા ડુબવા લાગ્યા હતાં. ત્યાં આસપાસના લોકોનું ધ્યાન જતાં તેઓ પાણીમાં કુદીને બચાવ્યા હતા પછી ત્રણ વર્ષના અ બાળકો પાણી પી જતાં તથા દરિયામાં પાણીમાં ગૂંગળાઇ જતાં મોત પામ્યા હતાં.
સાલેમામાં જુબેર ગજીયા ઉ. અઢી, રજાક ફીરોજ ગજીયા ઉ.અઢી તથા અલફાજ અલ્તાફ ગજીયા ઉ.ત્રણ ના મૃતદેહ ખંભાળીયા સરકારી હોસ્પિટલે લઇ આવવામાં આવતા મોટી સંખ્યામાં સલાયાના મુસ્લીમો હોસ્પિટલે ઉમટયા હતા તથા એકજ પરિવારના નાના કુમળા બાળકોના ત્રણ - ત્રણ ના એક સાથે મોત નિપજતાં ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં.