પ્રભાસ પાટણ આંગણવાડી કેન્દ્ર દ્વારા પ્રવાસ
પ્રભાસ પાટણઃ જી.એચ.સી.એલ. ફાઉન્ડેશન સુત્રાપાડા અને સ્વદીપ સંસ્થાનાં સહયોગથી વિદ્યાજયોત પ્રોજેકટ અંતર્ગત આવરી લીધેલ સુત્રાપાડા તેમજ વેરાવળ તાલુકાની લક્ષિત આંગણવાડીઓ સાથે વર્તમાન પૂર્વ પ્રાથમિક શિક્ષણને સુદૃઢ બનાવવાનાં હેતથી આંગણવાડી કેન્દ્રોનાં જાગૃત વાલીઓ સાથે શ્રેયસ ફાઉનડેશન અમદાવાદ, ચિલ્ડ્રન યુનિ. ગાંધીનગર વગેરેની બે દિવસીય પ્રેરણા પ્રવાસનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવેલ જેમાં વિવિધ શૈક્ષણિક શૈલીઓ તેમજ બાળકોના શૈક્ષણિક વિકાસમાં મદદરૂપ થાય તેવા વિવિધ પધ્ધતિઓ વિષેની ઉંડાણપૂર્વક સમજણ મેળવેલ હતી. હાલની લક્ષિત આંગણવાડીઓમાં પણ આ પ્રકારનું પૂર્વ પ્રાથમિક શૈક્ષણિક કાર્યપધ્ધતિ કેવી રીતે વિકસે તેની જાણકારી મેળવેલ હતી. પ્રવાસમાં જોડાયેલ વાલીઓ શિક્ષકોની તસ્વીર. (૧૧.પ)