સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th June 2018

મોરબીમાં સગાબાપે સગીર પુત્રીને અડપતા કર્યાઃ નરાધમ પિતા પર ‌ફિટકારની લાગણી વરસી

મોરબીમાં સગાબાપે પોતાની સગીર પુત્રીને અડપલા કર્યાની ઘટના બની છે. નરાધન પિતા ઉપર ફિટકારની લાગણી વરસી છે  મોરબીમાં પિતા-પુત્રીના સબંધોને કલંકિત કરતો ઘૃણાસ્પદ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં સગા બાપે સગીર પુત્રીના અડપલા કર્યાનો બનાવ બહાર આવતા આરોપી નરાધમ પિતા પર ફિટકારની લાગણી વરસી છે.

મુળ મહારાષ્ટ્રના નાગપુરના ભંડાર ગામની વતની અને હાલ મોરબીના નજીક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પુર્વ પતિ પિતામ્બર રામ ચંદ્રપુરોહિત સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેમની ૧ર વર્ષની પુત્રીને સગા બાપ અડપલા કરીને પજવણી કરતો હતો. આ બનાવ અંગે તાલુકા પી.એસ.આઈ.રાણાએ જણાવ્યુ હતુ કે, આરોપી પિતામ્બર પુરોહિતે ર૦૦૧માં નાગપુરની મહિલા સાથે લગ્ન કર્યા હતા. અને લગ્ન થકી તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ લગ્નજીવન ૭ વર્ષ સુધી ચાલ્યા બાદ બંને પતિ પત્ની વચ્ચે અણબનાવ થતા લગ્ન વિચ્છેદ થયો હતો. અને છુટાછેડા થતા નાગપુરની મહિલા મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં અન્ય કોઈની સાથે લગ્ન કરીને રહે છે.

જ્યારે આરોપી પિતામ્બર ટીફીન પહોચાડીને ઘરનું ગુજરાન ચલાવે છે. છુટાછેડા થઈ ગયા બાદ ૧૪ વર્ષનો મોટો પુત્ર અને તેમની નાની ૧ર વર્ષની પુત્રી તેની સાથે રહેતા હતા. આરોપી બાપ પોતાની સગી પુત્રી પર કૃદ્રષ્ટી કરીને છેલ્લા ૧ વર્ષથી તેની સાથે અડપલા કરતો હતો. પિતાની આવી હરકતોથી ત્રસ્ત થયેલી સગીર પુત્રીએ આખરે પોતાની અલગ રહેતી માતા પાસે જઈને પિતાની કરતુત વિશે જાણ કરી હતી. આથી તેની માતાએ આ અંગે ફરીયાદ નોંધાવતા આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકાના મહિલા પી.એસ.આઈ.ગોંડલીયા ચલાવી રહ્યા છે.

(11:37 pm IST)