વંથલીના ખેડૂત આગેવાન ઉપર હુમલો કરનારા ૩ શખ્સોના રિમાન્ડની તજવીજ
જુનાગઢ, તા.૯: વંથલી ના ખેડૂત આગેવાન નયનભાઈ કલોલા ઉપર હુમલો કરનારા વધુ ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા બાદ સવારથી ત્રણેયને રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે
ગોતુ સોમવારે વંથલી બંધનું એલાન આપવામાં આવ્યું હતું તે દરમિયાન નયનભાઈ કલોલા નામના ખેડૂત આગેવાનો હું પર ઘાતકી હુમલો થયો હતો આ બનાવમાં બે દિવસ અગાઉ ક્રાઇમ બ્રાન્ચે સરપંચ ની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે વધુ ત્રણ શખ્સોને પકડી પાડયા છે
દરમિયાનમાં ગઈકાલે એસપી નિલેશ જાજરીયા ની સુચનાથી એલસીબીના પીઆઇ આર.કે ગોહિલ તેમજ સ્ટાફના રોહિત ધાધલ વગેરેએ સરગવાડા ગામનાં ભાવિન ખોડા અને કોઇલી ગામના રબારી લાખા સાંગા તેમજ જૂનાગઢના કરસન ગલા મોરીની ની ધરપકડ કરી હતી
આ પ્રકરણમાં હજુ મુખ્ય કાવતરૃં રચનાર શકશો ફરાર હોય તેથી તેને ઝડપી લેવા માટે ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે પકડાયેલા ત્રણેય શખ્સોને સાત દિવસના રિમાન્ડ પર મેળવવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.