મોરબી પંથકમાં બે અકસ્માતમાં બેના મોત
જુના ઘુંટુ રોડ પર અજાણ્યા વાહન હડફેટે શ્રમીક રામ યાદવ તથા મકનસર પાસે અકસ્માતમાં નાની વાવડીના મહાવીરસિંહ જાડેજાનું મોત
મોરબી તા. ૯ : મોરબી પંથકમાં અકસ્માતનો સિલસિલો સતત જોવા મળી રહ્યો છે. જેમાં જુના ઘૂટું રોડ પર અને મકનસર નજીક એમ બે સ્થળે અકસ્માતમાં બે બાઈક સવાર યુવાનના મોત થયા છે.
પ્રથમ બનાવ મોરબીના જુના ઘૂટું રોડ પરથી બાઈકમાં પસાર થતા રામ આરિષ યાદવ (ઉ.૨૮) નામનો શ્રમિક યુવાનને અજાણ્યા વાહને ઠોકર મારતા યુવાનનું મોત નીપજયું હતું જેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
જયારે અન્ય અકસ્માતના બનાવમાં મોરબીના નાની વાવડી ગામના રહેવાસી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૪૦) હોન્ડા મોટરસાયકલ પર મકનસર નજીકથી જતા હોય ત્યારે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા બાઈક પણ અથડાયું હતું અને બાઈકસવાર યુવાનનું મોત થયું હતું. જેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે.