સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલના ત્રણ ટેકનિશિયનને કોરોના વળગ્યો: પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના પરિવારમાં કોરોના આવ્યો

પોરબંદર (પરેશ પારેખ) અહીંની ભાવસિંહજી હોસ્પિટલની લેબોરેટરીના ફરજ પરના ૩ ટેકનિશિયનોને કોરોના કોરોના પોઝિટિવ આવતા ભારે ચિંતાની લાગણી પ્રસરી છે.

આ દરમિયાન પોરબંદર નગરપાલિકાના પ્રમુખશ્રી સરજુભાઈ કારિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારિયાના પરિવારમાં કોરોના આવ્યો છે.

પાલિકા પ્રમુખના પત્ની, તેના ભાઈ, બે ભત્રીજી અને ભાઈના પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તમામને સારવાર આપવામાં આવી રહી છે

પોરબંદરમાં બિન સત્તાવાર માહિતી મુજબ  કુંભારવાડા વિસ્તારમાં ત્રણને કોરોના આવ્યાનું જાણવા મળે છે. ઠક્કર પ્લોટ વિસ્તારમાં પાંચ અને અન્ય વિસ્તારોમાં એક-એક બબ્બે કેસો બહાર આવી રહ્યા છ.  

સત્તાવાર રીતે તંત્ર દ્વારા આજે માત્ર પાંચ કેસ જાહેર કરવામાં આવ્યા છે.

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં રાત્રે મળતા અહેવાલ મુજબ કોઈ જગ્યા નથી.

પોરબંદરની હોસ્પિટલમાં રિકવરી રેઈટ સારો હોવાનું અને મૃત્યુ રેઇટ ખૂબ જ ઓછો હોવાનું જાણવા મળે છે.

(11:31 pm IST)