સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

પોરબંદરમાં કોરોનાનું વધતુ સંક્રમણ : નવા પ પોઝીટીવ કેસ : પાલિકા પ્રમુખ સરજુભાઇ કારીયા અને ચેમ્બરના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાના પરિવારના સભ્યોને કોરોના ચેપ લાગ્યો

પોરબંદર : કોરોના સંક્રમણ વધતુ જાય છે જિલ્લામાં આજે કોરોનાના વધુ પ નવા પોઝીટીવ કેસ આવ્યા છે. નગરપાલિકા પ્રમુખ સરજુભાઇ કારીયા તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાના પરિવારના સભ્યોને કોરોના લાગુ પડયો છે.

નગરપાલિકા પ્રમુખ સરજુભાઇ કારીયાના પત્ની ભાઇ તથા ર ભત્રીજી તેમજ ભાઇના પત્નીને કોરોના ચેપ લાગતા તમામને સારવાર માટે ખસેડાયેલ છે.

પાલિકા પ્રમુખ સરજુભાઇ કારીયા અને ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશભાઇ સગાભાઇઓ છે.

જિલ્લામાં કોરોનાના નવા પાંચ કેસમાં ખાપટ, નવો કુંભારવાડો, છાંયા તથા ર કેસ રાણાવાવમાંથી આવ્યાં છે.

(9:07 pm IST)