સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

'તમે ટહુંકો અને અમે વાંસવન' ના સર્જક, જાણીતા કવિ મહેશ સોલંકી 'બેનામ'નું ભુજમાં દુઃખદ નિધન

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) ગુજરાતી અને કચ્છી ભાષામાં કવિતાઓના સર્જક મહેશ સોલંકી 'બેનામ' નું ગઇકાલે રાત્રે ટુંકી બીમારી વચ્ચે હૃદયરોગના હુમલાથી દુઃખદ નિધન થતાં સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. તેઓ પોતાના ગુજરાતી કાવ્ય સંગ્રહ 'તમે ટહુંકો અને અમે વાંસવન'થી જાણીતા બન્યા હતા. આ ઉપરાંત ગુજરાતી ટુંકી વાર્તાઓ પણ તેમણે લખી હતી. તો, કચ્છી સાહિત્ય ક્ષેત્રે પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. પોલીસ વિભાગમાં સ્ટેનોગ્રાફર એવા મહેશભાઈ કચ્છમાં સજીવ ખેતી અને ગૌસેવા ક્ષેત્રે જાણીતા રામકૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા.

(9:26 am IST)