સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

જામનગરની જી.જી.હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ઉભરાઇ પડી : જુની વિંગ કાર્યરત કરવી પડે તેવી સ્થિતી

જામનગર : જિલ્લામાં કોરોનાની પોઝિશન ખૂબ જ વકરી રહી છે ત્યારે શહેરની મુખ્ય ગણાતી ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં જામનગર ઉપરાંત રાજકોટ મોરબી જૂનાગઢ પોરબંદર સહિતનાં સૌરાષ્ટ્રભરના જિલ્લાઓમાં થી કોરોના પોઝિટિવ દર્દીઓનો વધારો જામનગરમાં આવી રહ્યો છે જેને કારણે જામનગરની જી.જી હોસપીટલ કોરોના પોઝિટિવ દર્દીઓથી ઉભરાઈ છે. કોવિડ વિભાગના નોડલ ઓફિસર ડો. એસ.એસ. ચેટરજી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. નંદિની દેસાઈ અને ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. દિપક તિવારીએ જણાવ્યું હતું કે, હવે યુવાનોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને ઓકિસજન લેવલ ઘટવાની સૌથી વધુ દર્દીઓમાં જોવા મળે છે. અન્ય જિલ્લામાંથી આવતા દર્દીઓના સંદર્ભે વાત કરતાં જણાવ્યું હતું કે દર્દીઓની સ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે મોટાભાગના દર્દીઓને બચાવવા પણ ખૂબ જ અઘરા હોવાનું જણાવ્યું હતું. ડો.એસ.એસ. ચેટરજીએ વધુમાં જણાવ્યું હતું કે જામનગર જિલ્લાની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં મોટા ભાગની વ્યવસ્થા આવનારા સમયમાં ટૂંકી પડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે જેથી હોસ્પિટલની જૂની વિંગને પણ કોવિડ હોસ્પિટલમાં તરીકે કાર્યરત કરવા મથામણ કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી રહ્યું છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા જામનગર)

(12:43 pm IST)