સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

ભાવનગરમાં એક કલાકમાં ૩ વ્યકિતના કુદરતી મોત થયાઃ અફવા ઉડી 'કોરોના'થી મોતની

મહામારીના સમયમાં અફવાઓથી દુર રહેવા તંત્રની અપીલ

ભાવનગર, તા.,૯ : ભાવનગરમાં એક કલાકના સમય ગાળામાં ૩ વ્યકિતના કુદરતી રીતે મોત થયા બાદ આ ત્રણેય વ્યકિતના મોત કોરોનાથી થયાની અફવા ફેલાતા દોડધામ મચી ગઇ હતી.

પ્રાપ્ત માહીતી મુજબ કોરોનાની મહામારીના સમયમાં સૌરાષ્ટ્રના ભાવનગરમાં સૌથી વધુ કોરોનાના પોઝીટીવ કેસ આવ્યા છે ત્યારે આજે બપોરે ૧ કલાક દરમિયાન જુદા જુદા ૩ વ્યકિતના કુદરતી રીતે મોત થયા હતા.

આ ત્રણ વ્યકિતના મોત બાદ સોશ્યલ મીડીયામાં ભારે અફવા ઉડી હતી અને આ ૩ વ્યકિતના મોત કોરોનાથી થયાનું વાયરલ થયું હતું. ત્યાર બાદ જીલ્લા વિકાસ અધિકારી સહીતનાએ આવી અફવાઓથી દુર રહેવા લોકોને અપીલ કરી હતી.

(2:28 pm IST)