સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

જામનગરમાં કોરોનાની મહામારી અટકાવવા ડીશઇન્કશનની કામગીરી

જામનગરઃ કોરોનાવાયરસ ની મહામારી અટકાવવા માટે તંત્ર દ્વારા પગલા લેવાઈ રહ્યા છે ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાસ મશીનથી ડીશઇન્ફેકશનની કામગીરી હાથ ધરાઇ છે છેલ્લા કેટલાક દિવસથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતી આ કામગીરી ગઈકાલે રાત્રે વિભાજી સ્કૂલથી પંચેશ્વર ટાવર રોડ આ ઉપરાંત જુના રેલ્વે સ્ટેશન નજીક આવેલ જુલેલાલ મંદિર આસપાસના વિસ્તારો ઉપરાંત લાલબંગલા સર્કલમાં આવેલ બાબાસાહેબ આંબેડકરના બાવલા થી સાત રસ્તા તરફના સર્કલ સુધી ઝાડા ની ઓફિસ પાછળના ઇન્દિરા રોડ અને રાજકોટ રોડ પર આવેલ વિકટોરિયા પુલ સુધી ખાસ હાઇપોકલોરાઈડના દ્રવણનો સ્પ્રે કરી ડીશઇન્ફેકશનની કામગીરી હાથ ધરાઇ હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:44 pm IST)