સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

બાબરાનાં રાણપર પાસેનાં ચૈતન્ય હનુમાનજી આશ્રમમાં ખોપડી-હાડકાઓ સળગેલ હાલતમાં મળતા રહસ્ય

અમરેલી, તા.૯: બાબરા નજીક રાણપર ગામથી ત્રણ કિમી દુર ગરણી રોડ આવેલ ચૈતન્ય હનુમાનજીના આશ્રમે ઘુણાવળી મકાનની અંદર સળગાવેલ રાખમાં ખોપડી તથા હાડકાઓ સળગેલ હાલતમાં હતા જે અંગે બાબરા પોલીસ મથકમાં સામાજીક કાર્યકર રાણપર ગામના પરેશભાઇ લક્ષ્મણભાઇ સોલંકીએ બાબરા પોલીસને જાણ કરતા જે માનવ લાશના છે કે કેમ?  તે કહી શકાય તેમન હોય આ અંગે બનાવી તપાસ પીએસઆઇ પી.લી. પંડ્યાએ વધુ તપાસ હાથ ધરી છે. રાત્રીના સમય હોવાથી બનાવ વાળી જગ્યાએ આજે દિવસના એફએસએલ ડોગ તથા ફિંગર એકસપર્ટની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે.

બાબરાનો અહેવાલ

આ અંગે બાબરાના પ્રતિનિધિ મનોજ કનૈયાનાં અહેવાલમાં જણાવાયું છે કે , બાબરા પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરાઇ છે. ખોપડી અને સળગેલા હાડકા કોના છે? તે અંગે તપાસ શરૂ કરાઇ છે. હાલમાં આશ્રમે મહંત હાજર મળી આવ્યા નથી.(

(1:43 pm IST)