સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

જુનાગઢ ભારતી આશ્રમના મહંત પૂ. ઇન્દ્રભારતીજી મહારાજના માસીબાનુ નિધન : વિંજણમાં સમાધિ

પ્રાર્થના સભા-બેસણું રાખેલ નથીઃ ભાવિકોએ શિવ સ્મરણ કરીને અંજલી આપી

જુનાગઢ : રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત અને જુના અખાડાના આંતર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતીજી મહારાજના માસીબા વેલબાઇબેન (ઉ.૮પ) તા.૮ હનુમાન જયંતી પુનમના દિવસે સવારે ૧૦/૧૦ કલાકે કૈલાશવાસ થયેલ છે.

તેઓની રાત્રે ૮ કલાકે કચ્છ જીલ્લાના અબડાસા તાલુકાના વિજંણ તેમના વતન ખાતે પુ. ઇન્દુભારતીબાપુની ઉપસ્થિતિમાં સમાધી આપવામાં આવેલ હાલ કોરોના વાઇરસના કારણે લોકડાઉનની સ્થિતી વચ્ચે તેઓની પ્રાર્થનાસભા અને બેસણું રાખેલ નથી તો સૌ ભાવિકો સ્નેહીઓ પોત પોતાના સ્થાનેથી વિશસ્મરણ કરી શ્રદ્ધાંજલી આપવા પુ.ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યું છે.

(11:42 am IST)