બે વેપારીની અટકાયત કરાતા વાંકાનેરના અનાજ-કીરાણાના વેપારીઓની હડતાલ
પો.ઈન્સ.રાઠોડ કહે છે, સોશ્યલ ડિસ્ટન્સ નહી જળવાતા પોલીસ ટ્રાફિક કાર્યવાહી કરી રહી છેઃ વેપારીઓ ગ્રાહકોને સંભાળે કે નિયમોઃ મહત્વનો સવાલઃ કલેકટર સુધી રજૂઆત
વાંકાનેર તા. ૯: ગઇકાલે વાંકાનેર પોલીસ દ્વારા (આવશ્યક સેવા) કરીયાણાના વેપારીઓ પૈકી કેટલાક વેપારીઓનીી ગેરકાયદેસર ધરપકડો કરાતા આ પોલિસ અતિરેક સામે આજે સવાર થી જ શહેરના કરીયાણાના વેપારીઓએ હડતાલ પાડી.
કરીયાણા એસોસિએશનના પ્રમુખ વિનુભાઇ કોટકે આ અગે જણાવેલ કે વાંકાનેર કરીયાણા ેસો.ના તમામ વેપારીઓ હાલની કોરોનાગ્રસ્ત માહોલમાં ઈમાનદારી થી, વ્યાજબી ભાવે આનજ- કરીયાણુ લોકોને પુરૂ પાડી રહ્યા છે ત્યારે તા.૮ સવારે અગીયારેક વાગ્યે ચાવડી ચોકમાં કરીયાણાની દુકાન ધરાવતા હસુભાઇ પાસે ઉભેલા ગ્રાહકો સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવતા હોવાથી તેઓની ધરપકડ કરેલ હતી. પરંતુ ગ્રાહકો દુકાન પાસે કરેલા કુંડાળા પાસે ધોમ ધખતો તડકો હોઇ, ગ્રાહકો છાંયડે દુકાન પાસે ઉભા હતા. તે જ રીતે મર્કેટચોકમાં કરીયાણાની દુકાન ધરાવતા રમઝાન અલી ખોજા ઉ.વ.૬૫ની પણ અટકાયત કરી. જાહેરનામા ભંગનો કેસ બંન્ને પર દાખલ કરી સાંજના ચાર વાગ્યા સુધી રાખેલ હતા.
તે બાબતની જાણ વાંકાનેર કીરાણાના મર્ચન્ટ એસો.ના હોદ્દેદારોને થતા તેઓ પોલીસ સ્ટેશને જઇ ઉગ્ર રજૂઆત કરતા બંન્ને વેપારીઓને જામીન મુકત કરેલ હતા. બાદમાં કરીયાણા એસો.ની મીટીંગ મળેલ અને ઉપરોકત અતિરેકસભર વર્તનના વિરોધમાં આજથી અચોક્કસ મુદ્દત સુધી આવશ્યક સેવા એટલે કે સજ્જડ બંધ રાખેલ છે.
આ બાબતે મોરબી જીલ્લા કલેકટરને જાણ કરવામાં આવી છે. અને જ્યાં સુધી પોલીસ દ્વારા અતિરેક થશે ત્યાં સુધી વાંકાનેરના કોઇ પણ કરીયાણાના વેપારીઓ દુકાનો ખોલશે નહિ. પોલિસ અધિકારી પી.આઇ. રાઠોડને આ અંગે પુછતા તેઓએ જણાવેલ કે કે સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતુ હોઇ આ કાર્યવાહી કરેલ છે. જેના સામે વાંકાનેરના પત્રકારોએ પોલિસ અધિકારીને જણાવેલ કે વાંકાનેરના વેપારીનો ઈમાનદારી પોલિસને શીરે રહે છે. વેપારીઓ ગ્રાહકોને વસ્તુ સાથે ? કે પછી સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા દુકાન બહાર જઇ તે કરે? ટ્રાફિકની જવાબદારી પોલીસની જ રહે છે.