કાલાવડ રોડ ઉપર કાર હડફેટે પીજીવીસીએલના કોન્ટ્રાકટર મુકેશભાઈ વાછાણીનું મોત
ખીરસરા, તા. ૯ :. રાજકોટ કાલાવડ હાઈવે ઉપર ખીરસરા નજીક કાર હડફેટે પીજીવીસીએલના કોન્ટ્રાકટરનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહીતી મુજબ રાજકોટ-કાલાવડ હાઈવે ઉપર ખીરસરા પોલીસ સ્ટેશનથી આગળ મેટોડા પીજીવીસીએલના કોન્ટ્રાકટર મુકેશભાઈ વાછાણી (પટેલ) પોતાના મોટર સાયકલ (નં. જીજે ૦૩ એફએલ ૧૧૨૨) લઈને જઈ રહ્યા હતા.
ત્યારે કાર (નં. જીજે ૦૩ ઈજી ૨૧૫૭)ના ચાલકે હડફેટે લેતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં તેઓને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.
જ્યાં તેમનુ સારવાર દરમિયાન મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
મૃતક મેટોડા પીજીવીસીએલના કોન્ટ્રાકટર મુળ કેશોદના હાલ રાજકોટ સ્થિત મુકેશભાઈ દેવજીભાઈ વાછાણી (ઉ.વ. ૪૬) હોવાનું જાણવા મળ્યુ છે. તેઓને સંતાનમાં એક ૧૫ વર્ષની પુત્રી ક્રિષ્ના છે.
મૃતક મુકેશભાઈ ૧૫૦ ફૂટ રીંગ રોડ, પુનિતનગર સર્કલ, નવો ૮૦ ફુટ રોડ, મધુવન પાર્ક, અરમાન ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા હતા.