સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th March 2021

જુનાગઢ લવ જેહાદનો શિકાર બનેલી દિકરીને પરત લાવવાની માંગ સાથે પુ. ઇન્દ્રભારતીબાપુની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એસ.પી.ને આવેદન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૯:  જુનાગઢમાં લવ જેહાદનો શિકાર બનેલી દિકરીને પરત લાવવાની માંગ સાથે પુ. ઇન્દ્રભારતીબાપુની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરીષદના અધ્યક્ષ ભરતભાઇ ભીંડી મહામંત્રી હિરેનભાઇ રૂપારેલીયાની આગેવાનીમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ લોકોએ એસ.પી.ને. આવેદન પાઠવી દિકરીને પરત લાવવા માંગ કરી હતી.  આ આવેદનમાં જણાવ્યું હતું એક દિકરી લવ જેહાદનો શિકારી બની છે. લવ જેહાદનો શિકાર બનાવનાર શખ્સ સારી રીતે જાણતો હતો કે ભોગ બનનાર દિકરીના માતા પિતા મૃત્યુ પામ્યા છે. જેથી વારસાઇ મિલ્કતના માલિક બનવા તેમજ બેંક બેલેન્સ પડાવી લેવા ભોળી દિકરીને લવ જેહાદનો શિકાર બનાવાઇ છે. તો શિકાર બનાવનારની ધરપકડ કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ અને ઉપરોકત તસ્વીરમાં એસ.પી.શ્રી રવિ તેજા વાસમ શેટ્ઠીને આવેદન આપતા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ પુ. ઇન્દ્રભારતીબાપુ કાળુભાઇ સુખવાણી કિશોર અજવાણી વગેરે નજરે પડે છે. આ તકે એસ.પી. શ્રી રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે આ ફરીયાદ અમોને મળી ત્યારથી સી-ડીવીઝન પોલીસ અને એલ.સી.બી. તપાસ કરી રહી છે અને યોગ્ય રીતે તપાસ ચાલી રહી છે અને મહેનત કરશુ. આ દિકરીને અને પરિવારને સોંપવા માટે પ્રયત્નો હાથ ધરાશે અને પોલીસનેે સફળતા ચોક્કસ મળશે તો લોકોને ચિંતા ન કરવા અંતમાંં જણાવેલ છે.

(1:06 pm IST)