સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th March 2018

થાનગઢમાં ૨ સંતાનો સાથે ગુમ પરીણિતાનો ૫ વર્ષથી પત્તો મળતો નથી

વઢવાણ તા. ૯ : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ માં રેલવે ફાટક પાસે રહેતી પરણિતા ફરજાનાબેન બે સંતાનો સાથે ગુમ થયા બાદ પોલીસમાં તેણીના પતિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ ઙ્ગપરંતુ છેલ્લા પાંચ વર્ષથી કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનું પરિણીતાના પતિ ઈરફાનભાઇ કરી રહ્યા છે.

પોલીસ સ્ટેશનથી લઇ ઙ્ગડીએસપી સુધી વારંવાર રજુઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પત્ત્।ો લાગ્યો નથી તેમજ તપાસ દરમિયાન ગૂમ પરિણીતાને આજ વિસ્તારમાં રહેતો ઙ્ગઈશ્વર નામનો શખ્સ સંતાનો સાથે અપહરણ કરી ગયાનું જાણવા મળેલ અને આ અંગે પોલીસને જાણ હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતા પરિણીતાના પતિ ઙ્ગદ્વારા આત્મવિલોપન કરી લેવાની ચીમકી આપી છે.

છેલ્લા ૨ વર્ષમાં ગુજરાતમાં મહિલાઓ ગુમ થવાના કિસ્સામાં થયો ધરખમ વધારો થયેલ છે. છેલ્લા ૨ વર્ષ માં ૧૪,૨૨૯ મહિલા ઓ રાજયમાંથી ગુમ થઈ હોવાનું નોંધાયું છે. જેમાંઙ્ગ૨૦૧૬માં ૬૫૮૧ અને ૨૦૧૭માં ૭૬૪૮ મહિલાઓ ગુમ થયેલ છે.

(12:59 pm IST)