સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th March 2018

ભાવનગરના સણોસરામાં કાલથી ર દિ' રાજય કક્ષાની પરિષદ

'જીવન ઘડતર માટેનું શિક્ષણ' વિષયે પ્રકાશ પડાશે

ઇશ્વરીયા તા. ૯ :.. સણોસરા ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં આવતીકાલે શનિવાર અને રવિવાર એમ બે દિવસ રાજય કક્ષાની પરિષદ યોજાશે.

જેમાં 'જીવન ઘડતર માટેનું શિક્ષણ' વિષય ઉપર શિક્ષણ ક્ષેત્રનાં નિષ્ણાંતો, વિદ્વાનો માર્ગદર્શનરૂપ વકતવ્ય રજૂ કરશે.

(11:38 am IST)