સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th March 2018

માધવપુરના ભાતીગળ મેળામાં નરેન્દ્રભાઇ મોદી અને વિજયભાઇ રૂપાણી પધારે તેવી સંભાવના

પોરબંદર તા.૯: માધવપુર (ઘેડ)ના પરંપરાગત અને સૌરાષ્ટ્રની પ્રખ્યાત પાંચ દિવસના ભાતીગળ લોકમેળામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પધારે તેવી સંભાવના છે.

આ બન્ને મહાનુભાવોને લોક મેળામાં પધારવા આમંત્રણ મોકલી આપવામાં આવ્યા છે તા.૨૫મીથી શરૂ થતા આ લોકમેળા માટે તડામાર તૈયારી શરૂ થઇ ગઇ છે.

વડાપ્રધાન અને મુખ્યમંત્રીની લોકમેળાની મુલાકાત અંગે સ્થાનિક વહીવટીતંત્ર પાસે હજુ કોઇ કાર્યક્રમ આવેલ નથી કે સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી.

માધવપુરના મેળો શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના પરંપરગલ વિવાહ પ્રસંગેમાં હાજર રહેવા ગ્રામ્ય સહિત દુર દુરથી લોકો ઉમટી પડે છે.

(11:50 am IST)