સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

રસોઈ બનાવતા દાઝી ગયેલ મોરબીની પરિણીતા જયશ્રીબેન ભટ્ટનું કરૂણમોત

મોરબી બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી

 

મોરબીના લીલાપર રોડ પર ગૌશાળા નજીક રહેતી જયશ્રીબહેન કૌશિકભાઈ ભટ્ટ (ઉ.૪૦) નામની પરિણીતા ગત. તા.૧૩-૨ ના રોજ પોતના ઘરે રસોઈ બનાવતી હતી ત્યારે દાઝી જતા પ્રથમ મોરબી બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી જેનું ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું.મોરબી પોલીસે બનાવની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:04 am IST)