સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

જબુબેનની અંતિમ ઇચ્છા પૂર્ણ... રાજપર ગામે વાજતેગાજતે નિકળી અંતિમયાત્રા

 મોરબી નજીકના રાજપર ગામે રહેતા પટેલ પરિવારના માજીનું અવસાન થયું હતું અને માજીની અંતિમ ઈચ્છા અનુસાર પુત્રોએ વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો વચ્ચે અંતિમયાત્રા યોજી હતી. મોરબી નજીકના રાજપર ગામે રહેતા મારવાણીયા પરિવારે મૃત્યુને મહોત્સવની જેમ ઉજવીને માતાને તેની અંતિમ ઈચ્છા મુજબ વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળ વચ્ચે અંતિમ વિદાઈ આપી હતી રાજપર ગામે રહેતા મારવાણીયા જબુબેનનું ૮૫ વર્ષની ઉમરે અવસાન થયું હતું અને માજીએ મૃત્યુ પૂર્વે જ તેના પુત્રો પ્રભુભાઈ, બળવંતભાઈ અને દિનેશભાઈને અંતિમ ઈચ્છા જણાવી હતી અને વાજતે ગાજતે તેની અંતિમયાત્રા યોજાય તેવી માતાની ઈચ્છા અનુસાર વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ઢોલ નગારા સાથે વાજતે ગાજતે દીકરાઓએ માતાને અંતિમ વિદાય આપી હતી ઙ્ગજેમાં સમગ્ર ગામ જોડાયું હતું. જીવન ઉત્સવ છે તો મૃત્યુની પણ ઉજવણી કરી સકાય છે તે પણ દર્શાવ્યું હતું આજે ગ્રામજનોએ પણ જબુબેનની અંતિમ ઈચ્છા અને મૃત્યુના ઉત્સવને ઉજવવાના તેમના ઉત્સાહને પણ સૌ કોઈએ બિરદાવ્યો હતો. જીવનની જેમ મૃત્યુ પણ જીવનનું સત્ય છે છતાં પણ લોકો મૃત્યુના ભયથી થરથર કાપતા હોય છે ત્યારે દુનિયાને અલવિદા કહેતા આ વૃદ્ઘ માજીએ જીવનની સાથે મૃત્યુને પણ દિપાવ્યું હતું અને અનેરા ઉત્સવના સાક્ષી બનેલા સગા સ્નેહીઓ અને ગ્રામજનોએ પણ ગર્વ અનુભવ્યો હતો.

(1:04 pm IST)