સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

ઉપલેટાના ખારચીયામાં ડાયાભાઇ બગડાનો એસિડ પી આપઘાત

રાજકોટ તા. ૮: ઉપલેટાના ખારચીયા ગામે રહેતાં ડાયાભાઇ કાનાભાઇ બગડા (ઉ.૪૫) નામના વણકર આધેડએ એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ડાયાભાઇએ ગત સાંજે એસિડ પી લેતાં ઉલ્ટીઓ કરવા માંડતા પત્નિ જયાબેનને જાણ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ રાત્રીના દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ડાયાભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવનું કારણ પરિવારજનો જાણતા નથી. ઉપલેટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

 

(10:31 am IST)