ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો ગાંધી મેળો જિલ્લા કલેકટર ડી. કે. પારેખની અધ્યક્ષતામાં સહજાનંદ વિદ્યાલય બપાડા ખાતે યોજાયો.
ગાંધીજીની પ્રબોધિત વિકેન્દ્રિત ખાદી અને ગ્રામ ઉદ્યોગ પ્રવૃત્તિઓનું એક પ્રદર્શન નિદર્શનનું આયોજન કરાયું
( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો ગાંધી મેળો જિલ્લા કલેકટર ડી. કે. પારેખની અધ્યક્ષતામાં સહજાનંદ વિદ્યાલય બપાડા ખાતે યોજાયો હતો .
શ્રી લોક સેવા મંડળ ટ્રસ્ટ તળાજા તેમજ શ્રી ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ ભાવનગર દ્વારા શ્રી લોક સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત સહજાનંદ વિદ્યાલય બપાડાના આંગણે તા. 9 ફેબ્રુઆરી 2023 ના રોજ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું .
જેમાં ગાંધીજીની પ્રબોધિત વિકેન્દ્રિત ખાદી અને ગ્રામ ઉદ્યોગ પ્રવૃત્તિઓનું એક પ્રદર્શન નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનના ઉદ્ઘાટક તરીકે ભાવનગર જિલ્લા કલેકટર ડી.કે પારેખ તથા અતિથિ વિશેષ તરીકે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તથા મુખ્ય મહેમાન તરીકે ડો.અરુણભાઈ દવે મેનેજિંગ ટ્રસ્ટ લોકભારતી સણોસરા તથા ડંકેશભાઈ ઓઝા નિવૃત સંયુક્ત સચિવ તથા લેખક, હિંમતભાઈ ગોડ પ્રમુખ સૌરાષ્ટ્ર જનતાત્મક સમિતિ રાજકોટ તથા સંજયભાઈ હેડવ રાજ્ય નિર્દેશક ખાદી અને ગ્રામ ઉદ્યોગ ઉપસ્થિત રહ્યા હતા.