કડીમાં મુખ્ય નર્મદા કેનાલમાં ભંગાણ સર્જાતા ગામમાં પાણી ઘુસી ગયાઃ ચારે બાજુ પાણી જ પાણી
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૯: કડીમાં મુખ્ય નર્મદાની કેનાલ તૂટતા લોકોને ઘરની બહાર નીકળી જવા તેમજ ઘરમાં પાણી ઘુસી જવાની ઘટના સામે આવી છે
કડીમાં પસાર થતી નર્મદાની કેનાલ એકાએક ફાટવાના કારણે ગામમાં જળબંબાકાર સર્જાયો છે અને હાલમાં ગામમાં અને મંદિરોમાં ઘૂંટણ સમાણા પાણી ઘૂસી ગયા હોવાનું જાણવા મળે છે ત્યારે હાલમાં કડી ગામમાં પાણી નર્મદાના પરિવર્તતા ગ્રામજનોમાં પણ ભય ફેલાયો છે. માણસની ઘરવખરી તેમજ નર્મદા કેનાલના પાણી ઘરમાં ઘૂસવાના કારણે ખાદ્ય વસ્તુઓ પણ પાણીમાં ડૂબી જવા પામી છે ે હાલમાં નર્મદાના અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા છે પરંતુ ગામમાં એટલી હદે પાણીᅠ ઘૂસી ગયા છે કે જેને ઉતરતા પણ સમય લાગશે અને હાલમાં હજુ પણ પાણીનો પ્રવાહ ગામ તરફ ચાલુ હોવાના કારણે હજુ પણ વધુ ગામો અને લોકો અને પશુધન પણ પાણીમાં ફસાયું હોવાનું જાણવા મળે છે