સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th February 2023

ભાવનગરમાં પિયરમાં આવેલ પરણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

ભાવનગર તા.૯  : ભાવનગરમાં પિયરમાં આવેલ પરિણીત યુવતીએ ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા વળી લીધી હતી

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના  ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે સાસરૂં ધરાવતા ભારતીબેન તુલસીભાઈ રાઠોડ ઉં.વ. ૩૦   છેલ્લા ત્રણ વર્ષથી માનસિક બીમારીની દવા શરૂ હોય , માનસિક બીમારીથી કંટાળી જઈ  ભાવનગર શહેરના તરસમિયા રોડ , ખારશી વિસ્‍તારમાં આવેલ તેમના પિયરમાં આવી જાતેથી ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી હતી . આબનાવ અંગે ભરતનગર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(12:24 pm IST)