સુરેન્દ્રનગર લોકસભા સીટ માટે સંમેલનઃ વિજયભાઇ-ઓમ માથુર દ્વારા માર્ગદર્શન
વઢવાણ, તા, ૯: સુરેન્દ્રનગર શહેરમાં લોકસભાનું ચુંટણીઓ માટેના પડઘમો વાગવાના શરૂ થઇ ગયા છે ત્યારે રાજકોટના પ્રભારી સહીત લોકસભા સીટનું સંચાલન કરી રહયા છે. ત્યારે આજે બપોરના પ્રદેશ ભાજપના માર્ગદર્શન મુજબ સુરેન્દ્રનગર લોકસભા સીટ માટે કલસ્ટર સંમેલન રાખવામાં આવેલ છે.
આ સંમેલન સુરેન્દ્રનગર પાસે આવેલા જીન કંમ્પાઉન્ડ કોઢની વાડી પાછળ ઘર હોતો ઐસા પાસેના મેદાનમાં રાખવામાં આવેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજઓમ માથુરજી જિલ્લાના ભાજપના પદ અધિકારીઓ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ અને જિલ્લાના ભાજપના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહેનાર છે. સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા શહેર ભાજપ પ્રમુખ નગર પાલીકા પ્રમુખ વિપીનભાઇ ટોલીયા કારોબારી ચેરમેન સહીતના ભાજપના કાર્યકરો જહેમત ઉઠાવે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઓમ માથુર સહીતના લોકસભા સીટ માટેનું માર્ગદર્શન આપશે. (૪.૮)