News of Wednesday, 9th January 2019
ઉનાઃ શાંતિથી વિરોધ છતાં ખેડૂતો ઉપર આડેધડ લાકડી વીંઝવા સામે આવેદન પત્ર
ઉના તા. ૯ :.. મહુવા અને તળાજા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં થઇ રહેલા માઇનીંગ પ્રોજેકટ ચાલી રહ્યો છે. લોકો અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. લોકો અને ખેડૂતો પોતાનો શાંતિથી વિરોધ છતાં પોલીસે આડેધડ લાકડીઓ મારી અને ઇજાઓ કરતા રોષ વ્યાપી ગયેલ છે.
આ પોલીસ દમનની સામે વિરોધ કરવા અને રોષ વ્યકત કરવા ઉના અખિલ કોળી સમાજના આગેવાન શ્રી રસિકભાઇ ચાવડા અને અન્ય આગેવાનો ઉના પ્રાંત કચેરીએ જઇને પ્રાંત અધિકારીને એક આવેદન પત્ર આપીને પોલીસના આ દમનનો વિરોધ કરી અને સરકારશ્રીએ આ બનાવની તપાસ કરાવીને નિર્દોષ લોકો લાઠીઓ વીંઝનાર પોલીસ સામે પગલા લેવાની આવેદન પત્રમાં માંગણી કરેલ છે. (પ-ર૦)
(11:42 am IST)