મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે શુક્રવારે મોક્ષ યજ્ઞ.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના સદગતોના મોક્ષાર્થે મચ્છુ માતાના મંદિરે આગામી શુક્રવારના રોજ મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.
આગામી તારીખ 9-12-2022 ને શુક્રવાર ના રોજ ઝુલતા પુલ દુર્ઘટનાને 40 દિવસ પૂરા થશે.આ કારમી દુર્ઘટના એ આપણી વચ્ચેથી 135 થી વધારે ભાઈઓ બહેનોને છીનવી લીધા , અત્યંત દુઃખદ અને ક્યારે ભૂલી ન શકાય તેવો બનાવ છે.
આ દિવ્યાંગોતોના આત્માના મોક્ષાર્થે તારીખ 9-12-2022 ને શુક્રવાર ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન દરબારગઢ મચ્છુ માતાના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. યજ્ઞના આચાર્ય પદે ધર્મેન્દ્રભાઈ જોશી રહેશે. આ વેળાએ કાંતિભાઈ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહેશે. તેમજ વોર્ડ નંબર 5ના વર્તમાન તથા પૂર્વ વિવિધ સમાજના તેમજ એસોસિએશનના આગેવાનો, મોરબી શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.